Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

02/05/2025, [Friday]
Temperature (°C)
Max Min
40.0 23.8
Relative Humidity 54 Wind Speed 5.0
Wind Direction SW Bright Sunshine 11.0
Evaporation 8.7 Rainfall 0.0
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન, આણંદ જીલ્લામાં હવામાન મુખ્યત્વે સુકું અને ગરમ તથા આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૯ થી ૪૨ ડીગ્રી સે. જેટલું, લઘુતમ તાપમાન ૨૬ થી ૨૮ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૨૫ થી ૮૫ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ થી કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૨૦ થી ૨૬ એપ્રિલ, ૨૦૨૫ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • શિયાળુ પાકોની કાપણી કર્યા બાદ જમીનમાં ઊંડી ખેડ કરી જમીનને સૂર્યપ્રકાશમાં તપવા દેવી જેથી કરીને જમીનમાં રહેલ રોગ-જીવાતનો નાશ કરી શકાય છે.
  • વાવણી કરેલ ઉનાળુ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવું.
  • હાલના સૂકા અને ગરમ હવામાનની પરિસ્થિતિમાં, ઉભા પાકોમાં જમીનમાં ભેજની પરીસ્થિતિને ધ્યાનમાં લઈ સાંજના અથવા સવારના સમયે પિયત આપવું.
  • જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા અને નિંદણ નિયંત્રણ માટે પાકના અવશેષો, ભૂસું, પરાળ અથવા પ્લાસ્ટિક મલ્ચ (આવરણ)નો ઉપયોગ કરવો.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત

કૃષિ સલાહ

કેળ

લૂમનો વિકાસ

 

  • કેળના પાકમાં હવામાન પરીસ્થિતિ અને જમીનના પ્રતને ધ્યાનમાં લઈ ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે નિયમિત પિયત આપવું.
  • કેળની લૂમને તડકાથી રક્ષણ માટે તેને કેળના બે પાન નમાવી ઢાંકેલી રાખવી.
  • લૂમની વિકાસ અવસ્થાએ છોડને ટેકો આપવા. લૂમ પર સુકા પાંદડા વીટાળવા.
  • પરાળ, સૂકું ઘાસ, સુકા પાંદડા વગેરેનો ઉપયોગ કરીને કેળના પાકમાં આવરણ કરવું જેથી જમીનમાં ભેજનું સંરક્ષણ કરી શકાય.

ઉનાળુ ડાંગર

કંટી નીકળવી/

ફૂલ

 

  • રોપણી કરેલ પાકની ક્યારામાં ૫-૭ સે.મી. ઊંડાઈ સુધી પાણી ભરેલું રાખવું.
  • ગાભમારાની ઈયળના ઉપદ્રવની શરૂઆતમાં ઈયળના પુખ્ત આકર્ષવા માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવવા. લીમડા આધારિત તૈયાર કીટનાશાકનો ૧૦ મી.લિ. (૫ ઇસી) થી ૬૦ મી.લિ. (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ફ્લ્યૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મી.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો.

ઉનાળુ બાજરી

વાનસ્પતિક

 

  • બાજરીના પાકના વાવતેર કર્યાના ૪૦ દિવસ બાદ આંતર ખેડ કરવી તેમજ હાથથી નિંદામણ કરવું.
  • ઉનાળુ બાજરીના પાકમાં જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિ મુજબ અથવા કટોકટીની અવસ્થાઓએ (ફૂટ, ધ્વજ પર્ણ અને ફૂલ) પિયત આ૫વા.
  • પૂર્તિ ખાતર તરીકે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટર પ્રમાણે પારવણી કર્યા બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવો.

ઉનાળુ મગ

વાનસ્પતિક

 

  • મગના પાકની વાવણી કર્યા પછી ૨૦ અને ૪૦ દિવસે બે વખત આંતરખેડ કરી હાથથી નિંદામણ કરવું.
  • ઉનાળુ મગનું વાવેતર ઓરવાણ કર્યા બાદ કર્યું હોય તો પ્રથમ પિયત વાવણીના ૨૦ દિવસ બાદ આપવું.
  • મગના પાકમાં મોલોના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અને સફેદમાખીના નિયંત્રણ માટે એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ઉનાળુ ભીંડા

વાનસ્પતિક

 

  • પાકની શરૂઆતની અવસ્થાએ કરબડીથી ૨ થી ૩ આંતરખેડ કરવી.
  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.
  • ભીંડાના પાકમાં તડતડિયાં જીવાતના ઉપદ્રવના નિયંત્રણ માટે શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઇસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઇસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. પાકના વૃદ્ધિકાળ દરમ્યાન જયારે ઉપદ્રવ વધુ જણાય ત્યારે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ઉનાળુ ચોળી

વાનસ્પતિક

 

  • ચોળીના પાકની વાવણી કાર્ય પછી ૩૦ અને ૪૫ દિવસે બે વખત આંતરખેદ કર્યા બાદ હાથથી નિંદામણ કરવું.
  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું

વેલાવાળા શાકભાજી (ઉનાળુ)

ફૂલ/ફળ

 

  • પાકમાં હવામાન પરીસ્થિતિ અને જમીનના પ્રતને ધ્યાનમાં લઈ ૮ થી ૧૦ દિવસના અંતરે  પિયત આપવું.
  • તરબૂચના પાકમાં પાનકોરીયાના નિયંત્રણ માટે  સાયાનટ્રારાનીલીપ્રોલ ૧૦% ઓડી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં પ્રથમ છંટકાવ વાવણી બાદ ૪૦ દિવસ બાદ અને ત્યારબાદ બીજો છંટકાવ બીજો છંટકાવ ૧૫ દિવસે  કરવો.
  • ફળમાખીના નિયંત્રણ માટે ક્લુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.
  • તરબૂચના પાકમાં ફુલ આવે ત્યારે કેલ્શિયમ નાઈટ્રેટ ર ગ્રામ પ્રતિ લિટર પાણી અને વેલા ઉગી ગયા બાદ ૧પ-ર૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ર ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શિયમ ૧ ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય.

આંબો

ફળ

 

  • આંબામાં ભૂકીછારો રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.
  • આંબાના મધિયાના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.
  • કેરી ફળનું ખરણ થતું અટકાવવા માટે કેરી વટાણા જેટલી થાય ત્યારે ૧૦૦ લિટર પાણીમાં ૨ ગ્રામ નેપ્થેલીન એસેટિક એસીડ અને ૨ કિ.ગ્રા. યુરીયાના દ્રાવણનો ૧૫-૨૦ દિવસના ગાળે છંટકાવ કરવો.

પશુપાલન

  • પશુઓના નાના બચ્ચાને સમયાંતરે કૃમિનાશક દવાઓ આપવી.
  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઇલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનીજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.
  • ઉનાળામાં પશુનું રહેઠાણ સારું હવા ઉજાશવાળું હોવું જોઈએ. છાપરું લોખંડ કે પતરાનું હોય તો ઉપરની સપાટીને સફેદ રંગથી રંગવી અથવા અડધો ફૂટ જેટલો સુકા પૂળાનો થર કરવો જેથી પશુને ગરમી ઓછી લાગે.
  • પશુઓને છાંયડામાં રાખવા તેમજ પીવા માટે વારંવાર ચોખ્ખું અને ઠંડુ પાણી આપવું.


 

 
 
Photo Gallery X