Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

19/02/2025, [Wednesday]
Temperature (°C)
Max Min
32.5 18.2
Relative Humidity 76 Wind Speed 3.5
Wind Direction ENE Bright Sunshine 9.3
Evaporation 4.2 Rainfall 0.0
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ, આણંદ જીલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન મુખ્યત્વે સૂકું અને આકાશ અંશત: વાદળછાયુંથી મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૧ થી ૩૪ ડીગ્રી સે., લઘુતમ તાપમાન ૨૧ થી ૨૨ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૩૦ થી ૬૦ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ થી ૧૫ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે ઉત્તર-પૂર્વ તરફ રહેવાની શક્યતા છે.

સામાન્ય સલાહ

  1. ઉભા પાકોમાં, જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું તથા ભલામણ મુજબનો રસાયણિક ખાતરનો હપ્તો આપવો. રોગ-જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમ્યાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા.
  2. આગોતરા વાવેતર કરેલ પરિપક્વ શિયાળુ પાકોની ખુલ્લા હવામાનમાં કાપણી માટે આયોજન કરવું.
  3. ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી.
  4. હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/

જીવાત

કૃષિ સલાહ

બીડી તમાકુ

દેહધાર્મિક પરિપક્વતા

 

  • તમાકુની જાતો અનુસાર ૧૩ થી ૧૫ પાને અને ૧૭ થી ૨૦ પાને ખૂંટણી કરવી.
  • તમાકુનો પાક પરિપક્વ થયે તેના પાનને તોડી કાપણી કરી ચોપડીયું તૈયાર કરવું.

 કેળ

ફૂલ/

લૂમ નીકળવી

 

 

  • કેળના પાકમાં શિયાળામાં જમીનના પ્રત અને હવામાન પરીસ્થિતિને ધ્યાનમાં લઈ ૧૦ થી ૧ર દિવસે નિયમિત પાણી આ૫વું.
  • કેળના મુખ્ય છોડની ફરતે પીલા દૂર કરવા.
  • લૂમો નીકળી ગયા બાદ ર ટકા યુરીયા (૧૦ લીટર પાણીમાં ર૦૦ ગ્રામ યુરીયા)નો છંટકાવ કરવાથી ફળના કદ અને વજનમાં વધારો થાય છે.

દિવેલા

ડોડવા બેસવાની અવસ્થા

 

  • પાકમાં હાલની હવામાનની પરિસ્થિતિમાં જમીનમાં ભેજની અછત જણાય તો પિયત આપવું.
  • દિવેલાના પાકમાં ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • પરિપકવ ડોડવાની લણણી કરવી.

મરચી

ફૂલ/ફળ

 

  • મરચીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૩૦ થી ૫૦ મિ.લી.૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • મરચીના પાકમાં નુકશાન કરતી પાનકથીરીના નિયંત્રણ માટે ઈથીયોન ૫૦ ઇસી ૧૦ મિ.લી. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી ૧૫ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
  • કાલવ્રણ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
  • પાકમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ૧૦ થી ૧૨ પિયત આપવા.

ટામેટી

ફૂલ/ફળ

 

  • પાકમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ૧૦ થી ૧૨ પિયત આપવા.
  • લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી. લીલી ઈયળના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત કીટનાશક ૧૦ મિ.લિ. (૫ ઈસી) થી ૫૦ મિ.લિ. (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

રીંગણ

ફૂલ/ફળ

 

  • ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ જણાય તો નુકશાનગ્રસ્ત ડુંખ અને ફળને છોડમાંથી તોડીને જમીનમાં દાટી દેવા. વધુ ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.
  • પાકમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ૧૦ થી ૧૨ પિયત આપવા.

રાઈ

દાણા ભરાવવા/

દેહધાર્મિક પરિપક્વતા

 

  • પાકની દાણા ભરાવાની અવસ્થાએ જરૂરિયાત અનુસાર પિયત આપવું.
  • ખુલ્લા અને સૂકા હવામાનની પરીસ્થિતિ દરમિયાન રાઈના પાકની શીંગો પીળી પડે તેમજ મુખ્ય ડાળીની શીંગો સુકાઈ જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી.

ચણા

 

દાણા ભરાવવા/

દેહધાર્મિક પરિપક્વતા

 

  • ચણાના પાકમાં દાણા ભરાવવાની અવસ્થાએ જમીનના પ્રત અને હવામાનને ધ્યાનમાં લઈ પિયત આપવું.
  • સો શીંગોમાં પાંચ શીંગોમાં શીંગમાખીનું નુકશાન જોવા મળે ત્યારે લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીઆમાઈડ ૩૯.૩૫ એસસી ૨ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • આગોતરા વાવેતર કરેલ પાક પરિપક્વ અવસ્થાએ પહોચેલ હોય તો ખુલ્લા હવામાનમાં તેની કાપણી માટે આયોજન કરવું.

ઘઉં

દુધિયા દાણા/

પોંક

 

  • ઘઉંના પાકમાં દૂધિયા દાણા અવસ્થાએ (વાવણીના ૭૫-૮૦ દિવસ બાદ) પાંચમું પિયત, અને પોંક અવસ્થાએ (વાવણીના ૯૦-૯૫ દિવસ બાદ) છઠું પિયત આપવું.

બટાટા

કંદનો વિકાસ/

દેહધાર્મિક પરિપક્વતા

---

  • ભલામણ મુજબના પોટાશ ખાતરોનો પૂર્તિ હપ્તો આપવો.
  • પાછોતરો સુકારા રોગના નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ૭૫ વે.પા. ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂર મુજબ છંટકાવ કરવો.
  • ગોરાડું જમીનમાં ૮ થી ૧૦ દિવસના અંતરે  બટાટાના જીવન કાળ દરમિયાન કુલ ૮ થી ૧૦ પિયત આપવા, જયારે રેતાળ જમીનમાં ૬ થી ૭ દિવસના અંતરે કુલ ૧૨ થી ૧૪ પિયત જમીનના ભેજ અને હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપવા.
  • ટપક પદ્ધતિથી ફેબ્રુઆરી માસમાં ૬૮ મિનીટ એકાંતરે દિવસે પિયત આપવું.
  • બટાટાની જમીનમાં કાઢવામાંથી ૧૫ દિવસ પહેલા પિયત આપવાનું બંધ કરવું.

રજકો

વૃદ્ધિ/કાપણી

 

  • લીલાચારા માટે પ્રથમ કા૫ણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ ૨૮-૩૦ દિવસે કરવી.
  • શિયાળુ રજકાના પાકમાં ૧૦-૧૨ દિવસે પિયત આપવા.

ઉનાળુ ડાંગર

 

ફેરરોપણી

 

 

  • જાતો: મહીસાગર, જી.એ.આર.-૩, જી.એ.આર.-૧૩, જી.એ.આર.-૧૪, જી.આર.-૧૧, જી.આર.-૧૨, જી.આર.-૧૦૩, ગુર્જરી, જી.આર.-૭, જયા 
  • ૫૦ થી ૫૫ દિવસનું ધરુ થાય ત્યારે ૨૦ x ૧૫ સે.મી.ના અંતરે રોપણી કરવી.
  • ઘાવલ કરતી વખતે પાયાનું ખાતર તરીકે નાઈટ્રોજન ૩૦ કિ.ગ્રા./હેક્ટર પ્રમાણે આપવો. ધરુને ઉખાડીને રોપણી પહેલા પંદર મિનીટ માટે એઝોસ્પાયરીલમ અથવા એઝેટોબેક્ટર જૈવિક ખાતરના પ્રવાહીમાં બોળી રોપણી કરવાથી રસાયણિક નાઈટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય છે.

ઉનાળુ બાજરી

જમીનની તૈયારી/

વાવણી

 

  • હેક્ટરે ૧૦ ટન સારું કોહાવાયેલું છાણીયું ખાતર નાખવું અને હળ વડે બે થી ત્રણ વખત ખેડ કરી સમાર મારી જમીન તૈયારી કરવી.
  • જાતો: જીએચબી ૫૩૮, જીએચબી ૫૫૮, જીએચબી ૭૩૨, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૩૧.
  • બીજ દર: ૨.૫ કિ.ગ્રા./હે.
  • વાવેતર સમય: ફેબ્રુઆરીના માસના પ્રથમ કે બીજા અઠવાડિયાના સમયગાળા દરમ્યાન કરવું જોઈએ.

ઉનાળુ ભીંડા

જમીનની તૈયારી/

વાવણી

 

  • જાતો: ગુજરાત ભીંડા-૨, ગુજરાત આણંદ ભીંડા-૫, પુસા મખમલી, વર્ષા ઉપહાર, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર, પરભણી ક્રાંતિ વગેરે જાતોના બિયારણ મેળવી લેવા.
  • વાવેતર સમય: ફેબ્રુઆરી માસના બીજા અઠવાડિયાથી માર્ચના બીજા અઠવાડિયા દરમ્યાન ઉનાળુ વાવેતર કરી શકાય છે.
  • વાવેતર અંતર: ૪૫ x ૩૦ સે.મી.
  • બીજનો દર: ૧૦-૧૨ કિ.ગ્રા/હેક્ટર.
  • બીજ માવજત: ભીંડાના બીજને ટ્રાયકોડ્રર્માં વીરીડી પાવડર ૪ ગ્રામ/કિ.ગ્રા. બીજ અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ અને ૪૦૦ ગ્રામ  એઝોસ્પીરીલીયમ જૈવિક ખાતરનો પટ આપી ૨૦ મિનીટ છાંયડામાં સૂકવી વાવણી કરવી.
  • ખાતર:૫૦-૫૦-૫૦ કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

ઉનાળુ ચોળી

જમીનની તૈયારી/

વાવણી

 

  • જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ થી ૧ર ટન છાણીયું ખાતર નાંખવું.
  • જાતો: આણંદ શાકભાજી ચોળી-૧, ૩, ૪, પૂસા ફાલ્ગુની, પૂસા કોમલ જેવી જાતોની પસંદગી કરવી.
  • વાવણી સમય: ફેબ્રુઆરી-માર્ચ માસમાં વાવેતર કરી શકાય છે.
  • વાવણી અંતર અને બીજનો દર: ચોળીનું વાવેતર બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૧૫-૨૦ સે.મી. અંતર રાખી અને એક હેક્ટરના વિસ્તાર માટે ૧૨-૧૫ કિ.ગ્રા/હેક્ટર બિયારણનો દર રાખી કરવું.
  • ખાતર વ્યવસ્થાપન: પાયાનું ખાતર તરીકે ના:ફો:પો: ૨૦:૪૦:૦૦ કિ.ગ્રા./હેક્ટર તરીકે આપવું.

વેલાવાળા શાકભાજી (ઉનાળુ)

વાવેતર

 

દૂધી:

જાત:   આણંદ દૂધી-૧, ગુજરાત આણંદ દૂધી હાઈબ્રીડ-૧

બીજનો દર: ૨.૫ થી ૩.૦ કિ.ગ્રા./હે.

વાવણી અંતર: ૨.૦ x ૧.૫ મીટર

ખાતર: ૫૦-૫૦-૫૦ કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

સક્કર ટેટી

જાત:   જીએમએમ-૩

બીજનો દર: ૨.૦ થી ૨.૫ કિ.ગ્રા./હે.

વાવણી અંતર: ૧.૫ x ૧.૦ મીટર

ખાતર: ૨૫-૧૨૫-૧૨૫ કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

તરબૂચ

જાત:   સુગર બેબી, અરકા જ્યોતિ

બીજનો દર: ૨.૦ થી ૨.૫ કિ.ગ્રા./હે.

વાવણી અંતર: ૧.૫ x ૧.૦ અથવા ૨.૦ x ૧.૦ મીટર

ખાતર: ૭૫-૫૦-૫૦ કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

કાકડી:

જાત:   ગુજરાત કાકડી-૧

બીજનો દર: ૧.૦ થી ૨.૦ કિ.ગ્રા./હે.

વાવણી અંતર: ૧.૫ x ૧.૦ મીટર

ખાતર: ૨૫-૨૫-૨૫ કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

પશુપાલન

  • પશુઓના નાના બચ્ચાને સમયાંતરે કૃમિનાશક દવાઓ આપવી.
  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઇલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનીજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.

પ્રાકૃતિક ખેતી

  • તાપમાનમાં વધારો થવાથી મરચી, રીંગણ, ભીંડા વગેરે પાકોમાં કથીરીનો ઉપદ્રવ શરૂ થવાની સંભાવના રહે છે, આથી જમીનમાં ભેજ જાળવવા અને વધુ પડતો ભેજ અટકાવવા માટે જમીન આચ્છાદન ક્થીરી ઉપદ્રવને કાબુમાં રાખવા માટે ઉત્તમ આયામ છે.  ઉપરથી સિંચાઈ કરવાથી કથીરી દૂર થઈ શકે છે, માટે કથીરીનો ઉપદ્રવ શરૂ થતો જણાય એટલે ફુવારા  પધ્ધતિથી પિયત આપવું, પરંતુ વધુ પડતો ભેજ ટાળો, જેથી તેનો ઉપદ્રવ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે નહિ.
  • મરચીમાં થ્રિપ્સના નિયંત્રણ માટે લીમડાના પાન ૫ કિલોગ્રામ + સીતાફળના પાન ૨ કિલોગ્રામ + નફટિયા અથવા ધતૂરાના પાન ૨ કિલોગ્રામ લઈને દેશી ગાયના ૧૦ લિટર ગૌમુત્રમાં નાખીને ૫ દિવસ સુધી રહેવા દેવા, ત્યારબાદ તેને પાણી ઉમેર્યા વગર ગાળીને મળેલા દ્રાવણનો પાકની પરિપક્વ અવસ્થાએ છંટકાવ કરવો.  રીંગણ તેમજ ભીંડા જેવા શાકભાજી પાકના થડ, ડાળી, ફૂલ કળીઓ, ફળો વગેરેમાં સંતાઈને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે તાજા બનાવેલ અગ્નિયાસ્ત્રનો ૧00 લિટર પાણીમાં બે થી અઢી લિટર પ્રમાણ મુજબ પાક ઉપર સુવ્યવસ્થિત રીતે છંટકાવ કરવો.
  • આંબામાં રાઈ, મગ તેમજ લખોટી કદના ફળ અવસ્થાએ મધિયાના નાના બચ્ચા અને પુખ્ત નુકસાન પહોચાડતા હોય છે ત્યારે આંબાની તમામ ડાળીઓ ઉપર નિમાસ્ત્રનો વ્યવસ્થિત છંટકાવ મધિયાના નિયંત્રણ માટે ખૂબ જ કારગત નીવડે છે.

નિમાસ્ત્ર બનાવવાની રીત:
નિમાસ્ત્રનો ઉપયોગ જીવાતથી થતાં નુકશાનને તથા રોગોને રોકવા માટે થાય છે, અને છોડના પાંદડા ખાનારા અને છોડનો રસ ચૂસનારા કિટકોથી થતાં નુકશાનને રોકવા માટે થાય છે. નિમાસ્ત્ર પાક માટે હાનિકારક કિટકોના પ્રજનનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. નિમાસ્ત્ર તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને કુદરતી/પ્રાકૃતિક ખેતી માટે પર્યાવરણીય અસરકારક જંતુ નિવારક અને જૈવિક જંતુનાશક છે.
જરૂરી સામગ્રી:      

               નં.     જરૂરી સામગ્રી             સામગ્રીનો જથ્થો
               ૧.        પાણી                          ૨૦૦ લિટર
               ૨.        ગાયનું છાણ                    ૨ કિલો
               ૩.        ગૌમૂત્ર                               ૧૦ લિટર
               ૪.        લીમડાના પાનની પેસ્ટ   ૧૦ કિલો
પગલું ૧:
       • એક ડ્રમમાં ૨૦૦ લિટર પાણી લો અને તેમાં ૧૦ લિટર ગૌમૂત્ર ઉમેરો.
       • પછી ૨ કિલો દેશી ગાયનું છાણ ઉમેરો.
       • આગળ, ૧૦ કિલો લીમડાના પાનનો બારીક પેસ્ટ અથવા ૧૦ કિલો લીમડાના બીજનો તૈયાર કરેલ પલ્પ ઉમેરો.

પગલું ૨:
       • પછી તેને ઘડિયાળની દિશામાં લાંબી લાકડી વડે હલાવો અને તેને બારીક કોથળીથી ઢાંકી દો.
       • તેને છાંયડામાં રાખો કારણ કે તે સૂર્યપ્રકાશ કે વરસાદના સંપર્કમાં ન આવે.
       • દરરોજ સવારે અને સાંજે દ્રાવણને ઘડિયાળની દિશામાં હલાવો.
પગલું ૩:
       • ૪૮ કલાક પછી, તે ઉપયોગ માટે તૈયાર છે.
       • તેને ૬ મહિના સુધી ઉપયોગ માટે સંગ્રહિત કરી શકાય છે.
       • તેને પાણીથી પાતળું ન કરવું જોઈએ.
પગલું ૪:
        • તૈયાર કરેલા દ્રાવણને મલમલના કપડાથી ગાળી લો અને પાંદડાં પર સ્પ્રે દ્વારા સીધા પાક પર છંટકાવ કરો.

 

 
 
Photo Gallery X