Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

11/07/2025, [Friday]
Temperature (°C)
Max Min
33.0 27.0
Relative Humidity 89 Wind Speed 5.2
Wind Direction SW Bright Sunshine 2.4
Evaporation 4.6 Rainfall 2.2
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ, આણંદ જીલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન ભેજવાળું અને આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે તથા અમૂક/મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન ૨૯ થી ૩૩ ડીગ્રી સે. જેટલું, લઘુતમ તાપમાન ૨૪ થી ૨૬ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૭૦ થી ૯૦ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૧૧ થી ૧૪ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૦૬ થી ૧૨ જુલાઈ, ૨૦૨૫ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું અને લઘુતમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે તથા હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • જમીનમાં વરાપ થયે ચોમાસું પાકોની વાવણી કરવી.
  • જમીન જન્ય રોગનો ઉપદ્રવ થાય નહિ તે માટે પાકના બીજને વાવેતર પહેલા થાયરમ અથવા મેન્કોઝેબ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો  ૨-૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા.બીજ મુજબ પટ આપવો.
  • આગોતરા વાવેતર કરેલ ચોમાસું પાકોમાં વરાપ થયે આંતરખેડ, નિંદામણ, પારવણી, ખાલા પૂરવા વગેરે જેવા ખેતીકાર્યો કરવા.
  • વાવણી કરેલ ખેતર/ધરૂવાડિયામાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.
  • ઉભા બાગાયતી પાકોને વધુ ઝડપી પવન સામે રક્ષણ માટે લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત

કૃષિ સલાહ

ચોમાસું ડાંગર

ધરૂવાડિયું/

ફેરરોપણી

 

  • ધરૂવાડિયામાં લોહતત્વની ઉણપને કારણે ધરૂના પાન પીળા (કોલાટ) પડવા લાગે છે, તેના નિયંત્રણ માટે બે થી ત્રણ વાર ધરૂવાડીયામાં પાણી ભરી નિતારી અને પછી પાણી ભરી રાખવું અથવા પિયતની સગવડ ના હોય તો ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકણી) + ૨૦ ગ્રામ ચૂનાનું મિશ્ર દ્રાવણ બનાવી ધરુવાડીયામાં પાન ઉપર વરસાદ વગરના સમયગાળા દરમિયાન છંટકાવ કરવો ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ગૂંઠા દીઠ ૫૦૦ ગ્રામ નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનિયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવો.
  • ડાંગરના પાકના ધરૂવાડિયામાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા ૧૫ દિવસે એકવાર હાથ નીંદામણ કરવું અથવા વાવણી બાદ ૧૦-૧૨ દિવસે બીસ્પાયારીબેક સોડીયમ ૧૦% ઈસી ૨૦ ગ્રામ સક્રિય તત્વ/હે. ૪ (મિ.લી./૧૦ લિટર પાણી) મુજબ વરસાદ વગરના સમયગાળા દરમિયાન છંટકાવ કરવો.
  • ડાંગરની ફેરરોપણી માટે ૨૫ થી ૩૦ દિવસના ધરૂને બે હાર વચ્ચે ૨૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી.નું અંતર રાખી દરેક થાણા દીઠ ૨ થી ૩ છોડની રોપણી કરવી.
  • વહેલી પાકતી, મધ્યમ-મોડી પાકતી અને મોડી પાકતી જાતો માટે અનુક્રમે ૩૨, ૪૦ અને ૪૮ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન અને ૨૫ કિ.ગ્રા./હે. ફોસ્ફોરસ પાયાના ખાતર તરીકે આપવો.
  • જમીનમાં ઝીંક તત્વની ઉણપ હોય તો ૨૫ કિ.ગ્રા./હે. ઝીંક સલ્ફેટ પાયામાં આપવો.

મરચી

ફેરરોપણી

 

  • રોપણી સમય: તૈયાર થયેલ ધરૂની જુલાઈમાં રોપણી લાયક વરસાદ થયેથી ૧૫ સપ્ટેમ્બર સુધી ૬૦ સે.મી. x ૬૦ સે.મી.ના અંતરે ચાસ પાડી ફેરરોપણી કરવી.
  • ધરૂનો દર: ૫૬,૦૦૦ છોડ/હેક્ટર.
  • રાસાયણિક ખાતર: પાયાના ખાતર તરીકે ૫૦:૫૦:૫૦ ના:ફો:પો કિ.ગ્રા./હેક્ટર, ડીએપી અને એમોનિયમ સલ્ફેટ (અનુક્રમે ૧૧૦ અને ૧૫૦ કિ.ગ્રા./હે.) ના રૂપમાં આપવા.

ટામેટી

ફેરરોપણી

 

  • રોપણી સમય: તૈયાર થયેલ ધરૂની જુલાઈમાં રોપણી લાયક વરસાદ થયેથી ૧૫ સપ્ટેમ્બર સુધી ૯૦ સે.મી. x ૪૫ સે.મી. અથવા ૭૫ સે.મી. x ૪૫ સે.મી ના અંતરે ચાસ પાડી ફેરરોપણી કરવી. ફેરરોપણી અગાઉ ટામેટાના ધરૂને રોપતા પહેલા છોડના મૂળને બાવિસ્ટીન ૨ ગ્રામ/૧૦ લિટર પાણી માં બોળીને રોપવા.
  • ધરૂનો દર: ૨૫,૦૦૦-૩૦,૦૦૦ છોડ/હેક્ટર.
  • રાસાયણિક ખાતર: પાયાના ખાતર તરીકે ૫૦:૫૦:૫૦ ના:ફો:પો કિ.ગ્રા./હેક્ટર આપવા.

રીંગણ

ફેરરોપણી

 

  • રોપણી સમય: જુલાઈમાં રોપણી લાયક વરસાદ થયે તૈયાર થયેલ ધરૂની ૯૦ સે.મી. x ૬૦ સે.મી. અથવા ૯૦ સે.મી. x ૭૫ સે.મી ના અંતરે ચાસ પાડી ફેરરોપણી કરવી.
  • ધરૂનો દર: ૧૫,૦૦૦-૧૮,૦૦૦ છોડ/હેક્ટર.
  • રાસાયણિક ખાતર: પાયાના ખાતર તરીકે ૫૦:૫૦:૫૦ ના:ફો:પો કિ.ગ્રા./હેક્ટર આપવા.

ચોમાસું બાજરી

ઉગાવો/

વાનસ્પતિક

 

  • વાવણી કરેલ ખેતરમાં બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી.નું અંતર રાખી પારવણી કરવી.
  • વાવણી કરેલ પાકમાં જમીનમાં વરાપ થયે આંતરખેડ તથા નિંદામણ કરવું.

ઘાસચારાના પાકો

વાવણી/

ઉગાવો

 

  • ઘાસચારાની મકાઈ માટે જાતો: ગંગા સફેદ-૨, ૫, ગુજરાત મકાઈ-૧, ૨, ૩, ૪, આફ્રિકન ટોલ
  • ઘાસચારાની જુવારની જાતો: ગુજરાત જુવાર-૪૨, જીએફએસ-૧, ૪, ૫, સીએસવી-૨૧ એફ. એસ-૧૦૧૯
  • ધાસચારા બાજરીની જાત: ગુજરાત ધાસચારા બાજરી-૧
  • જમીનમાં વરાપ થયે વાવણી કરવી.
  • વાવણી કરેલ પાકમાં વરાપે થયે જરૂરિયાત અનુસાર આંતરખેડ, નિંદામણ, પારવણી, અને ખાલા પૂરવા જેવા ખેતકાર્યો કરવા.

બીડી તમાકુ

જાતની પસંદગી/ ધરૂવાડિયું

 

  • પિયત વિસ્તાર માટે: આણંદ-૨, આણંદ-૧૧૯, ગુજરાત તમાકુ-૫, આણંદ બીડી તમાકુ-૧૦, ગુજરાત આણંદ બીડી તમાકુ-૧૧, ગુજરાત તમાકુ હાઇબ્રીડ-૧, જીએબીટીએચ-૨
  • બિનપિયત વિસ્તાર માટે: ગુજરાત તમાકુ-૪, ૭
  • જમીનને ઓરવી વરાપ થયે આડી-ઉભી ખેડ કર્યા બાદ જમીન સમતળ કરી ૧.૫ મીટર પહોળા અને ૨૦ મીટર લાંબા ક્યારા બનાવવા. પિયતનું પાણી આપવા અને વરસાદના વધારાના પાણીના નિકાલ માટે ક્યારાની ચારેય બાજુએ અંદાજે ૫૦ સે.મી. પહોળાઈની નિતાર માટે નીકો બનાવવી.
  • વાવણી સમય: જુલાઈ માસનું પ્રથમ અઠવાડિયું. બીજ દર: ૫ કિ.ગ્રા./હેકટર.

કઠોળ પાકો

(ચોમાસું)

વાવણી/

ઉગાવો

 

  • તુવેર: ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૦,  ગુજરાત તુવેર-૧૦૧, આણંદ શાકભાજી તુવેર-૧ બીડીએન-૨ એજીટી-૨, આઈ.સી.પી.એલ.-૮૭
  • વાવેતર સમય:–જુલાઈ મહિના સુધીમાં વાવેતર લાયક વરસાદ થયા બાદ વરાપ થયે વાવણી કરવી.
  • બીજનો દર: ૨૦ થી ૨૫ કિ.ગ્રા./હે (વહેલી પાકતી જાત) અને ૧૫ થી ૨૦ કિ.ગ્રા./હે (મધ્ય મોડી પાકતી જાત)
  • વાવણી અંતર: ૪૫ થી ૬૦ સે.મી x ૧૫ થી ૨૦ સે.મી. (વહેલી પાકતી જાત)

         ૭૫ થી ૯૦ સે.મી x ૨૫ થી ૩૦ સે.મી. (મધ્યમ મોડી પાકતી જાત)

  • બીજ માવજત: ફૂગનાશક દવા જેવી કે થાયરમ કે કેપ્ટાન ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ નો પટ આપવો અને જૈવિક ખાતર જેવા કે રાઈઝોબીયમ  ૫ મિ.લિ./કિ.ગ્રા. બીજનો પટ આપવો અને જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો ભલામણ કરેલ જૈવિક ખાતરથી બમણું પ્રમાણથી બીજ ને પટ આપવો. .
  • રાસાયણિક ખાતર: ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૫૦ કિ.ગ્રા. ફોસ્ફોરસ વાવણી પહેલ ચાસમાં ઓરીને આપવું. જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો ૨૦ કિ.ગ્રા. સલ્ફર/હે. આપવું.

સોયાબીન

વાવણી/

ઉગાવો

 

 

  • વાવણી કરેલ ખેતરમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી.નું અંતર રાખી પારવણી કરવી.
  • વાવણી બાદ જમીનમાં વરાપ થયે ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ તથા નિંદામણ કરવું.
  • વાવણી બાદ ૨-૩ દિવસે પેન્ડીમિથાલીન ૩૦% ઈસી ૭૫૦ ગ્રામ સક્રિય તત્વ/હે. (૫૦ મિ.લી./૧૦ લિટર પાણી) અને ૩૦ દિવસે આંતરખેડ તથા હાથ નિંદામણ કરવા.
  • વાવણી બાદ ૧૫-૨૦ દિવસે ઈમાઝેથાપીર ૧૦% એસએલ ૧૦૦ ગ્રામ સક્રિય તત્વ/હે. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણીમાં) વરસાદ વગરના સમયગાળા દરમિયાન છંટકાવ કરવો અને વરાપ થયે ૩૦ દિવસે આંતરખેડ તથા હાથ નિંદામણ કરવા.

કપાસ

ઉગાવો/

વાનસ્પતિક

 

 

  • વાવણી કરેલ કપાસના ખેતરમાં એક કરતા વધુ છોડ ઊગેલ હોય તો ત્યાં એક છોડ રાખી પારવણી કરવી તેમજ જ્યાં બીજ ઉગેલ ના હોય ત્યાં ખાલા પૂરવા.
  • વાવણી બાદ ૧૫-૨૦ દિવસે ફીનોક્સાપ્રોપ-પી-ઈથાઈલ ૯.૩ % ઈસી ૬૭.૫ ગ્રામ સક્રિય તત્વ/હે. (૧૫ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા ક્વીઝાલોફોપ-ઈથાઈલ ૫% ઈસી ૫૦ ગ્રામ સક્રિય તત્વ/હે. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) કોઈપણ એક નીંદણનાશકનો છંટકાવ વરસાદ વગરના સમયગાળા દરમિયાન કરવો અને ૩૦ અને ૬૦ દિવસે આંતરખેડ તથા હાથ નિંદામણ કરવું.

કેળ

નવી રોપણી

 

નવી રોપણી:

  • કેળની રોપણી માટે પેશીસંવર્ધનથી ઉછેરેલા છોડની જાતો જેવી કે ગ્રાન્ડ-નેઈન, રોબસ્ટા, બસરાઈ વગેરેની પસંદગી કરવી.
  • રોપણી સમય: કેળની રોપણી ૧પ ઓગસ્ટ સુધી કરવી.

પશુપાલન

  • પશુઓને વીજળી-મેઘગર્જના અને વરસાદ જેવી હવામાન પરીસ્થિતિ દરમિયાન શેડમાં સુરક્ષિત જગ્યાએ રાખવા.
  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો. વરસાદ દરમ્યાન ઘાસચારો પાણીથી પલળે નહિ તેનું ધ્યાન રાખવું.
  • ચોમાસાની શરૂઆતમાં પશુઓમાં ગળસુંઢો, ગાઠીયો તાવ તથા ખરવા-મોવાસા જેવા ચેપીજન્ય રોગો સામે રોગપ્રતિકારકતા માટે સમયસર રસી મુકાવવી.

 

 
 
Photo Gallery X