Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

26/04/2024, [Friday]
Temperature (°C)
Max Min
38.2 27.4
Relative Humidity 60 Wind Speed 4.2
Wind Direction NW Bright Sunshine 11.5
Evaporation 7.4 Rainfall 0.0
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • હવામાન કેન્દ્ર, ભારત મૌસમ વિભાગ, અમદાવાદની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન, આણંદ જીલ્લામાં હવામાન મુખ્યત્વે સુકું અને આકાશ આંશિક વાદળછાયુંથી મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહતમ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી સે., લઘુતમ તાપમાન ૨૬ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૯ થી ૪૩ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૧૨ થી ૧૭ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૦૧ થી ૦૭ મે, ૨૦૨૪ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • શિયાળુ પાકોની કાપણી કર્યા બાદ જમીનમાં ઊંડી ખેડ કરી જમીનને સૂર્યપ્રકાશમાં તપવા દેવી જેથી કરીને જમીનમાં રહેલ રોગ-જીવાતનો નાશ કરી શકાય છે.
  • વાવણી કરેલ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવું, હવામાન તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું. રોગ-જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમ્યાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા.
  • જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા અને નિંદણ નિયંત્રણ માટે પાકના અવશેષો, ભૂસું, પરાળ અથવા પ્લાસ્ટિક મલ્ચ (આવરણ)નો ઉપયોગ કરવો.
  • ખેત-પેદાશોને સુરક્ષિત જગ્યાએ રાખવી.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત

કૃષિ સલાહ

કેળ

ફૂલ/લૂમનો વિકાસ

 

  • ઉનાળામાં કેળના પાકમાં જમીનમાં ભેજ અને હવામાનની પરીસ્થિતિને ધ્યાનમાં લઈ ૭ થી ૮ દિવસના અંતરે નિયમિત પિયત આપવું.
  • કેળાના પાકમાં ફૂલ અવસ્થા દરમ્યાન ઝીંક સલ્ફેટ ૦.૫% અથવા ફેરસ સલ્ફેટ ૦.૨%નો છંટકાવ કરવાથી ફળની ગુણવત્તા તથા ઉત્પાદનમાં વધારો થાય છે.
  • કેળની ફરતે પવન અવરોધકવાડ કરવી જેના માટે ઝડપી વૃદ્ધિ કરતી શેવરી અનુકુળ છે.
  • લૂમની વિકાસ અવસ્થાએ છોડને ટેકો આપવા. લૂમ પર સુકા પાંદડા વીટાળવા.
  • પરાળ, સૂકું ઘાસ, સુકા પાંદડા વગેરેનો ઉપયોગ કરીને કેળના પાકમાં આવરણ કરવું જેથી જમીનમાં ભેજનું સંરક્ષણ કરી શકાય.

મરચી/ટામેટી

ફૂલ/ફળ

કોકડવા/થ્રીપ્સ

 

  • ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે લીમડાનું તેલ ૩૦ થી ૫૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આજીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો.

 

  • હવામાનની પરીસ્થિતિ તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું.

ઉનાળુ ડાંગર

કંટી નીકળવી/

ફુલ અવસ્થા

પિયત

  • પાકની ક્યારામાં ૫-૭ સે.મી. ઊંડાઈ સુધી પાણી ભરેલું રાખવું.

ગાભમારાની ઈયળ

  • ગાભમારાની ઈયળના ઉપદ્રવની શરૂઆતમાં ઈયળના પુખ્ત આકર્ષવા માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવવા. લીમડા આધારિત તૈયાર કીટનાશાકનો ૧૦ મી.લિ. (૫ ઇસી) થી ૬૦ મી.લિ. (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ફ્લ્યૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મી.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો.

ચૂસિયાં

  • ચૂસિયાં જીવાતનો ઉપદ્રવ જણાય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી આકાશ ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.

ઉનાળુ બાજરી

ફુલ/દાણા ભરાવવાની અવસ્થા

પિયત

  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની કટોકટીની  અવસ્થાએ જરૂરિયાત મુજબ પિયત આપવું.

લીલી ઈયળ

  • બાજરીની નીંઘલ અવસ્થા પહેલા લીલી ઈયળના ફેરોમોન ટ્રેપ ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાનો નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (પ% અર્ક) અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ ૧ ડબલ્યુપી જીવાણુંનો પાઉડર ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરો છંટકાવ કરવો.

ઉનાળુ ભીંડા

વાનસ્પતિક/ફૂલ

આંતરખેડ અને નિંદામણ

  • પાકની શરૂઆતની અવસ્થાએ કરબડીથી ૨ થી ૩ આંતરખેડ કરવી.

 

પિયત

  • જમીનનાપ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.

તડતડિયાં

  • હાલના હવામાનમાં ભીંડાના પાકમાં તડતડિયાં જીવાતના ઉપદ્રવની થવાની શક્યતા હોઈ, તેના નિયંત્રણ માટે શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦મી.લિ. (૫ ઇસી) થી ૬૦ મી.લિ. (૦.૦૩ ઇસી) અથવાવર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. પાકના વૃદ્ધિકાળ દરમ્યાનજયારે ઉપદ્રવ વધુ જણાય ત્યારેથાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાનખુલ્લું રહે ત્યારેછંટકાવ કરવો.

ઉનાળુ ચોળી

વાનસ્પતિક

આંતરખેડ અને નિંદામણ

  • ચોળીના પાકની વાવણી કર્યા પછી ૩૦ અને ૪૫ દિવસે બે વખત આંતરખેડ કરી હાથથી નિંદામણ કરવું.

પિયત

  • ઉનાળુ ચોળીનું વાવેતર ઓરવાણ કર્યા બાદ કર્યું હોય તો પ્રથમ પિયત વાવણીના ૨૦ દિવસ બાદ આપવું.

મોલો

  • ચોળીના પાકમાંમોલોના નિયંત્રણ માટેઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વેલાવાળા ફળપાકો

(ઉનાળુ)

ફુલ/ફળ બેસવા

 

પિયત

  •  જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિ તેમજ પાકની જરૂરિયાત મુજબ પિયત  આપવું.

પાક સંરક્ષણ

  • ફળમાખીના નિયંત્રણ માટે પાકમાં ક્યુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે અંતરે મુકવા અથવા મેલાથીયોન ૫૦ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

ખાતર વ્યવસ્થાપન

  • તરબૂચના પાકમાં ફુલ આવે ત્યારે કેલ્શિયમ નાઈટ્રેટ ર ગ્રામ પ્રતિ લિટર પાણી અને વેલા ઉગી ગયા બાદ ૧પ-ર૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ર ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શિયમ ૧ ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય.

આંબો

લખોટી જેટલા કદના ફળ થી ફળની પરિપકવતા

આંબાનો મધિયો

  • આંબાના મધિયાના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ફળનું ખરણ

  • કેરી ફળનું ખરણ થતું અટકાવવા માટે કેરી વટાણા જેટલી થાય ત્યારે ૧૦૦ લિટર પાણીમાં ૨ ગ્રામ નેપ્થેલીન એસેટિક એસીડ અને ૨ કિ.ગ્રા. યુરીયાના દ્રાવણનો ૧૫-૨૦ દિવસના ગાળે છંટકાવ કરવો.

ફળમાખી

  •  ફળમાખીનાં નિયંત્રણ માટે મીથાઈલ યુજીનોલ યુકત પ્લાયવૂડ વુડન ટ્રે૫ હેકટર દિઠ ૧૦ ની સંખ્યામાં ઉ૫યોગ કરવો.

પશુપાલન

  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.
  • ૫શુઓને દિવસ દરમ્યાન લીલોચારો પૂરતા પ્રમાણમાં આ૫વો.સૂકોચારો સવાર અને સાંજના ઠંડા ૫હોરેઆ૫વો.
  • ઉનાળામાં પશુઓને ખાસ કરીને રેસાયુક્ત ખોરાક આપવો.
  • ઉનાળામાં દુધાળા જાનવરને ખાસ કરીને ભેંસો તથા સંકર ગાયોને દિવસમાં બે થી ત્રણ વખત નવડાવવાથી ગરમીથી બચાવી શકાય અને દૂધ ઉત્પાદન જાળવી રખાય છે.
  • ઉનાળામાં પશુનું રહેઠાણ સારું હવા ઉજાશવાળું હોવું જોઈએ. છાપરું લોખંડ કે પતરાનું હોય તો ઉપરની સપાટીને સફેદ રંગથી રંગવી અથવા અડધો ફૂટ જેટલો સુકાપૂળાનો થર કરવો જેથી પશુને ગરમી ઓછી લાગે.

 

 
 
Photo Gallery X